શનિવાર, 7 જાન્યુઆરી, 2017

મુર્હુત


HAPPY NEW YEAR#મુર્હુત
કેમ નવુ વાહન લેવા મુર્હુત જોવામાં આવે છે?
કેમ લગ્ન કરવા શુભ મુર્હુત જોવામાં આવે છે?
કેમ મુર્હુત જોઇને ધંધા રોજગારનુ ઉદ્ઘાટન કરવામાં આવે છે? 
શુભ મુર્હુત માં કરેલ ઉદ્દઘાટન ને સફળતાની ચાવી ગણી શકાય?
હુ જ્યાસુંધી જાણુ છુ .... કોઇ પણ સારા કામ ની શરુઆત સારી થાય, એમાં વિઘ્ન ના આવે કે ભવિષ્યમાં પણ કોઇ પણ પ્રકારની મુશ્કેલી ના સર્જાય એના માટે બ્રાહ્મણો દ્વારા શોધ ખોળ કરી અમુક ચોક્કસ સમય નક્કી કરેલ છે. જેમાં અમુક સમયને શુભ મુર્હુત અને અમુક સમયને અશુભ મુર્હુત (કમુરતા) કહેવામાં આવે છે.
શુ માણસ જન્મે છે ત્યારે કોઇ મુર્હુત જોઇને આવે છે? (થોડી વાર ઉભા રહો હુ શુભ મુર્હુત માંજ જન્મીશ!)
અને ક્યારેય કમુરતા માં જન્મેલ બાળકને કોઇ મા-બાપે મારી નાંખેલ છે ખરા?
અને એજ રીતે શુ માણસ મરણ સમયે પણ મુર્હુત જુવે છે?
લગ્ન કરવા સારામાં સારુ મુર્હુત જોવાય છે, તો પછી છુટાછેડા કેમ થાય છે?
શુ સારા મુર્હુતમાં લીધેલ વાહન નુ ક્યારેય એક્સિડેન્ટ નથી થતુ?
અને એક્સિડન્ટ થાય તો કોઇ હોસ્પિટલમાં દાખલ થવા શુભ મુર્હુત કેમ જોતુ નથી?
અને ડોક્ટરો શુુ મુરત જોઇને ઓપરેશન કરે છે?
અરે શુ સવારે આપણી આંખ શુભ મુર્હુતમાંજ ખુલે છે?
તો પછી નવુ વાહન લેવા, લગ્ન કરવા, ઉદ્દઘાટન કરવા વગેરે વગેરે માટે મુર્હુત કેમ જોવામાં આવે છે?
લગ્ન કરવા સારામાં સારુ મુર્હુત જોવાય તો પછી છુટાછેડા થવાજ ના જોઇએ ને?
શુ કમુરતા માં જન્મેલ વ્યક્તિ કમઅક્કલ, ખોડખાંપણવાળો કે આતંકવાદી બને છે?
અને એક દમ સારા મુર્હુતમાં જન્મેલ બહુ હોંશિયાર અને પ્રગતિશીલ બને છે?
સારામાં સારા મુર્હુતમાં શરુ કરેલ ધંધો ઘણી વાર કેમ અસફળ જાય છે?
મતલબ સાફ છે કે કોઇ પણ જાતના મુર્હુતને કોઇ કાર્યની સફળતા કે અસફળતા માટે કંઇ લેવા દેવા નથી.
શુભ - અશુભ મુર્હુત માત્ર અને માત્ર મનના વહેમ/અંધશ્રદ્ધા થી વિશેષ કંઇ જ નથી. અને આ વહેમ બ્રાહ્મણવાદી ગુલામી થી વધુ કંઇ નથી.
તો શુ આ બ્રાહ્મણવાદી ગુલામીના પ્રતિક સમાન મુર્હુતનો આપણે ત્યાગ ના કરી શકીએ?
અને જો આ ગુલામીના પ્રતિક મુર્હુત ને ના ત્યાગી શકીએ તો શુ આપણે બ્રાહ્મણવાદી ગુલામ ના ગણાઇએ

ગુરુવાર, 11 ઑગસ્ટ, 2016

પ્રશાંત ગવાણિયા: પત્રકો માટે ઉપયોગી ગુજરાતી ફોન્ટ

પ્રશાંત ગવાણિયા: પત્રકો માટે ઉપયોગી ગુજરાતી ફોન્ટ: અહી શાળાને ઉપયોગી એવા પત્રકો આપેલા છે.આપ તેને પ્રિન્ટ કરીને ઉપયોગમાં લઇ શકો છો . ખાસ  નોંધ:પત્રકો ડાઉનલોડ કરતા પહેલા ફોન્ટ અવશ્ય ડાઉનલોડ... happy festival in years

મંગળવાર, 26 જુલાઈ, 2016

યોગેશ બારીયા: ભાષા કોર્નર

યોગેશ બારીયા: ભાષા કોર્નર: પક્ષીઓ ૪ ભાષામાં પ્રાણીઓ ૪ ભાષામાં આપણા વ્યવસાયકારો- ૪ ભાષામા - Download Gujarati Corner r કહેવતપોથી-૧૫૦૦   કહેવતોનુ...

આ બ્લૉગ શોધો